Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ગાંધીજયંતિ નિમિત્તે રેલ્વે સ્ટેશન પર સફાઈ અભિયાન હાથ ધરાયું,પ્લેટફોર્મ પર કરવામાં આવી સાફ સફાઈ

આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર સંત નિરંકારી મંડળ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

X

આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર સંત નિરંકારી મંડળ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્લેટફોર્મ પર સાફસફાઈ કરવામાં આવી હતી

આજે દેશભરમાં મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર સંત નિરાકારી મંડળના સભ્યો દ્વારા પ્લેટફોર્મની સફાઈ કરી મહાત્મા ગાંધીજીના સફાઈથી લઈને અહિંસાના પાઠને યાદ કર્યા હતા.સંત નિરંકારી મંડળ દ્વારા આધ્યાત્મિકતા સાથે સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતા આવે અને સમાજ પોતાના મનમાં રહેલા ખરાબ વિચારો ,સમાજના દુષણો અને દેશને સ્વચ્છ બનાવાના પ્રયાસના ભાગરૂપે સંત નિરંકારી મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો

Next Story