અંકલેશ્વર:જનસંઘના સ્થાપક પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે ભાજપના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય
BY Connect Gujarat Desk25 Sep 2022 7:37 AM GMT
X
Connect Gujarat Desk25 Sep 2022 7:37 AM GMT
જનસંઘના સ્થાપક પંડિત દીન દયાળ ઉપાધ્યાયના સમાજ કલ્યાણ પ્રત્યેના વિચારો, આદર્શો અને સમર્પણને આજે પણ દેશ આખો યાદ તેવા ઉદ્દેશ સાથે દેશભરમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે તેમના ઉમદા કાર્યોને જનજન સુધી પોહોચાડવાના પ્રયાસના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે
અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ,નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા,સભ્ય સુરેશ પટેલ,ઉપ પ્રમુખ કલ્પના મેરાઈ,શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story