અંકલેશ્વર : આંખોના રોગની સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલને ઓફ્થાલમિક બી સ્કેન વિથ યુબીએમ મશીન મળ્યું દાન...
BY Connect Gujarat Desk11 Sep 2023 11:57 AM GMT
X
Connect Gujarat Desk11 Sep 2023 11:57 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે શ્રી નવકાર બ્લોક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સીએસઆર હેઠળ ઓફ્થાલમિક બી સ્કેન વિથ યુબીએમ મશીન દાન કરવામાં આવ્યું હતું. આ મશીન થકી આંખોને લગતી તમમાસ સમસ્યાનું સ્કેનિંગ દ્વારા નિરાકરણ કરવામાં આવશે. જેનાથી દર્દીઓમાં આંખોના રોગને લઈને થતી મુશ્કેલીઓ દૂર થશે. રૂ. 16 લાખના ખર્ચે ઓફ્થાલમિક બી સ્કેન વિથ યુબીએમ મશીન દાન મળતા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર અંજના ચૌહાણ તેમજ દીપક નહાર દ્વારા શ્રી નવકાર બ્લોક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Next Story