Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ દ્વારા રકતદાન શિબિરનું આયોજન

શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

X

શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હૉલ ખાતે 64મો સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું દિવસ દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત બોટલ એકત્રિત કરવામાં આવી હતી આ કેમ્પમાં શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વરના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story