અંકલેશ્વર : GIDCમાં શૈક્ષણિક સંસ્થાને પ્લોટ ફાળવવામાં આવતાં સ્થાનિકોમાં રોષ

ચિત્રકુટ સહીતની સોસાયટીઓના રહીશોએ કર્યો વિરોધ જીઆઇડીસીના રીજીયોનલ મેનેજરને કરી રજુઆત અન્ય સ્થળે જગ્યા ફાળવવામાં આવે તેવી લોકોની માંગણી

New Update
અંકલેશ્વર : GIDCમાં શૈક્ષણિક સંસ્થાને પ્લોટ ફાળવવામાં આવતાં સ્થાનિકોમાં રોષ

અંકલેશ્વર જીઆઇડીસીમાં શૈક્ષણિક સંસ્થાને ફાળવવામાં આવેલા પ્લોટની જગ્યા બદલવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ચિત્રકૂટ સોસાયટી સહિત આસપાસ આવેલી સોસાયટીના રહીશોએ જીઆઇડીસીના રીજીયોનલ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જીઆઇડીસીમાં ચિત્રકુટ સોસાયટીની નજીક શૈક્ષણિક સંસ્થાને પ્લોટની ફાળવણી કરાય છે. આ પ્લોટની ફાળવણી તાત્કાલિક રદ્દ કરવામાં આવે અને શૈક્ષણિક સંસ્થા,હોસ્ટેલ બનાવવા માટે જી.આઈ.ડી.સી.ની છેવાડાની જમીન પર ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.