Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પંચાતી બજાર પાસે એક યુવાનનો મૃતદેહ તથા બીજો ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો

ગણેશ પંડાલ પાસે બે યુવાનો જમીન પર પડયાં હતાં, બંને ઉપર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યાની આશંકા.

X

અંકલેશ્વરના પંચાતી બજાર વિસ્તારમાં ગણેશ પંડાલ નજીકથી એક યુવાન મૃત હાલતમાં જયારે અન્ય એક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.

અંકલેશ્વરના પંચાતી બજાર નજીક ગણેશ પંડાલ ગ્રાઉન્ડ નજીક બે અજાણ્યા યુવાનો પડયાં હોવાનું સ્થાનિક રહીશોએ જોયું હતું. બનાવ અંગે જાણ કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યાં હતાં. જેમાં એક યુવાનનું પ્રાણપંખેરૂ ઉડી ગયું જયારે અન્ય એકના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યાં હતાં. ઇજાગ્રસ્તનું નામ કોતવાલ ચૌહાણ છે જયારે મૃતકની હજી સુધી ઓળખ થઇ શકી નથી. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

બંને યુવાનો પર કોઇએ હુમલો કર્યો હોવાની આશંકા સેવાય રહી છે. બંને યુવાનો પર કયાં કારણોસર હુમલો કરવામાં આવ્યો અને હુમલાખોરો કોણ હતાં તે બાબત હજી બહાર આવી શકી નથી. હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story