અંકલેશ્વર: પ્રતીન ચોકડી પાસેથી મળી આવેલ બે બાળકોનું બી ડીવીઝન પોલીસે પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યુ

અંકલેશ્વર: પ્રતીન ચોકડી પાસેથી મળી આવેલ બે બાળકોનું બી ડીવીઝન પોલીસે પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યુ
New Update

અંક્લેશ્વરની પ્રતીન ચોકડી પાસેથી મળી આવેલ બે બાળકોનું બી ડીવીઝન પોલીસે પરિવારજનો સાથે સુખદ મિલન કરવાતા લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

અંક્લેશ્વર શહેર બી ડીવીઝનના પી.આઈ. વી.યુ.ગરીયાની સુચના અને માર્ગ દર્શન હેઠળ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ગતરોજ નવેક વાગ્યા અરસામાં પ્રતીન ચોકડી પાસેથી બે બાળકો મળી આવ્યા હતા.જેઓને ચાઈલ્ડ વેલ્ફેર ઓફીસર મનીષભાઈએ પુછપરછ કરતા તેઓએ પોતાનું નામ દિલખુશ અને વિક્રમકુમાર હોવા સાથે ઝૂપડપટ્ટીમાં રહેતા જણાવ્યું હતું.

જેથી પોલીસે તેઓને સાથે રાખી ઝૂપડપટ્ટીમાં તપાસ કરતા અંક્લેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સાળંગપુર વિસ્તારના લક્ષમણનગર ઝુંપડપટ્ટીમાં રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે બંને બાળકોને તેઓના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દર્શ્યો સર્જાયા હતા.જયારે પરિવારજનોએ બી ડીવીઝન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

#Pratin chowkdi #Ankleshwar #Ankleshwar police #Ankleshwar News
Here are a few more articles:
Read the Next Article