/connect-gujarat/media/post_banners/598fae3a91573172ce782058630528d2fbca3ee2d08fd0ffb9605bb2f9bb7944.jpg)
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 5 શાળાઓનું નવીનીકરણ કરવામાં આવશે જેની કામગીરીનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સારી સુવિધા મળી રહે એ હેતુથી સર્વશિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ સરકારી શાળાઓને અપગ્રેડ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 5 શાળાઓનું નવીનીકરણ કરવામાં આવશે અને 65 લાખના ખર્ચે વિવિધ શાળાના ઓરડાઓ નવ નિર્માણ પામશે.
આ કામગીરીનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ,વાહન કમિટીના ચેરમેન નિલેષ પટેલ સહિતના આગેવાનો અને શાળા પરિવાર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.