Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ન.પા.શિક્ષણ સમિતિ સંચાલિત 5 શાળાઓનું કરાશે નવ નિર્માણ, MLAના હસ્તે કામગીરીનું ખાતમુર્હુત કરાયુ

ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનુ આયોજન, શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનું કરવામાં આવશે નવનિર્માણ.

X

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 5 શાળાઓનું નવીનીકરણ કરવામાં આવશે જેની કામગીરીનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સારી સુવિધા મળી રહે એ હેતુથી સર્વશિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ સરકારી શાળાઓને અપગ્રેડ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 5 શાળાઓનું નવીનીકરણ કરવામાં આવશે અને 65 લાખના ખર્ચે વિવિધ શાળાના ઓરડાઓ નવ નિર્માણ પામશે.

આ કામગીરીનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ,વાહન કમિટીના ચેરમેન નિલેષ પટેલ સહિતના આગેવાનો અને શાળા પરિવાર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story