અંકલેશ્વર: રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જશરાજ દાદાના નિર્વાણ દિન નિમિત્તે કાર્યક્રમનુ કરાયું આયોજન
અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જશરાજ દાદાના નિર્વાણ દિન નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
BY Connect Gujarat Desk23 Jan 2023 9:54 AM GMT
X
Connect Gujarat Desk23 Jan 2023 9:54 AM GMT
અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જશરાજ દાદાના નિર્વાણ દિન નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સુખશાંતિ-૧ ખાતે રહેતા લોહાણા સમાજના આગેવાન નરેશ પુજારાના નિવાસ્થાને રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વર દ્વારા જશરાજ દાદાના નિર્વાણ દિન નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં પર્યાવરણ ચિંતન શિબિર અને જલારામ બાપાની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોએ જલારામ બાપાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.આ કાર્યક્રમમાં પર્યાવરણ સજીવ ખેતી જળ સંચય અને સ્વચ્છ ઉર્જા સમિતિના અધ્યક્ષ કિરીટ એસ. ભામાણી,લોહાણા મહાપરીષદ સાઉથ ગુજરાત ઝોન પ્રમુખ શૈલેષ સોનપાલ અને રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વરના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story