અંકલેશ્વર : બિસ્માર માર્ગ અંગે વિવિધ ગણેશ મંડળોએ માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં કરી રજૂઆત..!
ખરાબ રોડ-રસ્તા બાબતે વિવિધ ગણેશ મંડળો દ્વારા જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે આવેદન પત્ર દ્વારા રજૂઆત
BY Connect Gujarat23 Aug 2022 12:12 PM GMT
X
Connect Gujarat23 Aug 2022 12:12 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ખરાબ રોડ-રસ્તા બાબતે વિવિધ ગણેશ મંડળો દ્વારા જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરના વિવિધ્બ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા છે. હાલ વરસાદનો માહોલ હોય અને મગરમચ્છની પીઠ જેવા બનેલા આ રસ્તાઓ પર કીચડ પ્રસરાયેલું રહે છે. આવનારા દિવસોમાં ગણેશ મહોત્સવ હોય અને આ પ્રકારના માર્ગ પરથી વિઘ્નહર્તા ગણેશજીની શોભાયાત્રા પસાર થવી અત્યંત મુશ્કેલ બનશે, ત્યારે અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો દ્વારા બિસ્માર રોડ રસ્તા મામલે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે હવે ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને બિસ્માર રસ્તાઓનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી શહેરના વિવિધ ગણેશ મંડળો માંગ કરી રહ્યા છે.
Next Story