Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : રૂ. 2 લાખના દાગીના ભરેલી તિજોરી ઊંચકી તસ્કરો થયા ફરાર, પોલીસ તપાસ શરૂ...

બોરભાઠા ગામ નજીક લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં રૂ. 2 લાખથી વધુ ચાંદીના ઘરેણાની ચોરી

X

બોરભાઠા ગામ નજીક શિવ જ્વેલર્સમાં થઈ ચોરી

રૂ. 2 લાખના દાગીનાની ચોરી થતાં મચી ચકચાર

તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામ નજીક લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં રૂ. 2 લાખથી વધુ ચાંદીના ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં ચકચાર મચી હતી. હાલ શિયાળાની શરૂઆત થતાં જ તસ્કરોની ટોળકીયો સક્રિય બની છે.

તેવામાં અંકલેશ્વર શહેરમાં રાત્રી દરમ્યાન ચોરીના બનાવોની ઘટના પણ સતત વધી રહી છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામ નજીક આવેલ તક્ષશિલા સ્કૂલની સામે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરમાં શિવ જ્વેલર્સ નામની દુકાનમાં ગત તા. 1 નવેમ્બરનાના રોજ સવારે 4 વાગ્યાની આસપાસ તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાં પ્રવેશી આશરે 2 લાખ રૂપિયાના ચાંદીના દાગીના ભરેલી તિજોરી ઊંચકી ફરાર થઈ ગયા હતા.

આ સાથે જ દુકાનમાં લાગેલા સીસીટીવી પણ તોડી નાખી નુકસાન કરી સાથે લઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ડોગ સ્કોર્ડની મદદ લઈ તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Next Story