અંકલેશ્વર : સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા અંગ્રેજી માધ્યમનું ભજન સત્સંગ સહિત આધ્યાત્મિક કાર્યક્રમોનું કરાયું આયોજન

અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, વિદ્યાનગર અને રાજપીપળાથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

અંકલેશ્વર : સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા અંગ્રેજી માધ્યમનું ભજન સત્સંગ સહિત આધ્યાત્મિક કાર્યક્રમોનું કરાયું આયોજન
New Update

સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા અંગ્રેજી માધ્યમનું ભજન સત્સંગ સહિત આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.સંત નિરંકારી મિશન આધ્યાત્મિક જાગરૃકતાના માધ્યમથી વિશ્વમાં સત્ય અને પ્રેમનો સંદેશો આપી રહ્યું છે. જે પ્રકારે પ્રભુ પરમાત્મા સ્થિર છે બાકી સંસારમાં અન્ય બધુ ગતિશીલ, અસ્થિર અને પરિવર્તનશીલ છે. તો જે સ્થિર છે તેની સાથે જોડાઈને સ્થિરતા પ્રાપ્ત કરી શકાય.

જે વૃક્ષના થડ મજબૂત હોય છે તે હંમેશાં સ્થિર હોય છે ત્યારે પવન છતાં વૃક્ષ મૂળ સાથે જોડાયેલ રહે છે તેની સ્થિરતા બની રહે છે. આ પ્રકારે જે મનુષ્ય બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનો સંબંધ નિરંકાર પ્રભુ પરમાત્મા સાથે સદાય જોડાયેલ રાખે છે તેના જીવનમાં કોઈપણ સ્થિતિમાં સ્થિરતા પ્રાપ્ત કરવા ભજન સત્સંગ અને આધ્યાત્મિકનો માર્ગ શ્રેષ્ઠ માર્ગ ગણવામાં આવે છે. ત્યારે આજ રોજ સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ તરફથી અંગ્રેજી માધ્યમનું ભજન સત્સંગ અને આધ્યાત્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જેમાં અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, વિદ્યાનગર અને રાજપીપળાથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

#Sant Nirankari Mandal #Ankleshwar #Ankleshwar News #Connect Gujarat #Bharuch Samacahr #સંત નિરંકારી મંડળ #ભજન સત્સંગ
Here are a few more articles:
Read the Next Article