અંકલેશ્વર : HMP ફાઉન્ડેશનનું સેવાકાર્ય, પૂરગ્રસ્ત લોકોને કર્યું ફૂડ પેકેટનું વિતરણ...

HMP ફાઉન્ડેશનનના સ્થાપક સ્વ. અહમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ દ્વારા અંકલેશ્વરમાં પૂરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર : HMP ફાઉન્ડેશનનું સેવાકાર્ય, પૂરગ્રસ્ત લોકોને કર્યું ફૂડ પેકેટનું વિતરણ...

HMP ફાઉન્ડેશનનના સ્થાપક સ્વ. અહમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ દ્વારા અંકલેશ્વરમાં પૂરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ પૂરના કારણે અંકલેશ્વર નજીક જુના દીવા, જૂની દિવી, જુના બોરબાઠા, નવી વસાહત, અંકલેશ્વર શહેર વોર્ડ નં. ૭ તેમજ અન્યો વિસ્તારમાં અસરગ્રસ્તોને HMP ફાઉન્ડેશનનના સ્થાપક સ્વ. અહમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે ખાદ્ય સામગ્રી પુરી પાડવા માટે અલગ અલગ ટીમ તૈયાર કરી છે. આ ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈ અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા, વસીમ ફડવાલા, પ્રતીક કાયસ્થ, સ્પંદન પટેલ, મુકેશ વસાવા, હરેશ વસાવા, ઉબૈદ મેમણ, સિકંદર કડીવાળા, નજમુદ્દીન ભોળા સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહી સેવાઓ પુરી પાડી હતી.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories