અંકલેશ્વર: GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરે શનિ જયંતિની ઉજવણી

આજે શનિ જયંતી છે. શનિ જયંતી વૈશાખ માસની અમાસના દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે

New Update

આજરોજ શનિ જયંતિ નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે શનિદેવનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

આજે શનિ જયંતી છે. શનિ જયંતી વૈશાખ માસની અમાસના દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે આજરોજ શનિજયંતી નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ  પશુપતિનાથ મંદિર ખાતે શનિજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ શનિ જયંતિ નિમિત્તે પશુપતિનાથ મહાદેવ મંદિર સ્થિત શનિ ભગવાનનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.શનિદેવ ન્યાય અને પરિશ્રમના દેવતા છે, તેથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરો અને તેમને દાન કરો. તેલ અને અડદમાંથી બનેલી ખાદ્ય વસ્તુઓનું દાન કરો. આખો દિવસ ઉપવાસ રાખો. આ દિવસે કાળા કપડા, અડદ, તેલ અને લોખંડની વસ્તુઓનું દાન કરવાનો મહિમા છે

Read the Next Article

આમોદ-જંબુસરને જોડતા ઢાઢર નદીના બ્રિજ મુદ્દે કોંગ્રેસે કાઢી તંત્રની સ્મશાન યાત્રા, પોલીસે કરી અટકાયત

પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઉંધા પહેરીને રોષ વ્યકત વ્યક્ત કર્યો.

New Update

ભરૂચના આમોદ જંબુસર રોડ પર આવેલો છે બ્રિજ

ઢાઢર નદી પરનો જર્જરીત બ્રિજ

બ્રિજ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

તંત્રની કાઢવામાં આવી સ્મશાન યાત્રા

પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત

ભરૂચના અમૃતથી જંબુસરને જોડતો ધાધર નદી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા તેનો સમારકામ ન કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ભરૂચના આમોદ-જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં નવા બ્રિજના નિર્માણને લઇ કાયમી ઉકેલ ન આવતાં કોંગ્રેસે આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઉંધા પહેરીને રોષ વ્યકત વ્યક્ત કર્યો.
કાર્યકરોએ મુખ્યમંત્રી-ગૃહમંત્રી રાજીનામું આપો જેવા સૂત્રોચાર સાથે સ્મશાન યાત્રા કાઢી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનના પગલે  આમોદ અને જંબુસર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત તમામ કાર્યકરોને અટકાયત કરી આમોદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહીસાગર નદી પર આવેલા મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા પછી આ બ્રિજ પણ જર્જરીત હાલતમાં હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.