Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નૌગામા ગામે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે...

નૌગામા ગામે આવેલ પૌરાણીક રોકડીયા હનુમાજી મંદિર ખાતે નિર્માણ પામેલ ભવ્ય શ્રીરામ મંદિરમાં શ્રીરામ પરિવાર પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર : નૌગામા ગામે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે આવેલ પૌરાણીક રોકડીયા હનુમાજી મંદિર ખાતે નિર્માણ પામેલ ભવ્ય શ્રીરામ મંદિરમાં શ્રીરામ પરિવાર પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વરના નૌગામા ગામ ખાતે શ્રી રોકડીયા હનુમાનજી મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આગામી તા. 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી રામ મંદિર ખાતે શ્રીરામ પરિવાર પ્રાણપ્રતિષ્ઠા, હનુમાનજી નૂતન મંદિર જીર્ણોદ્ધાર તથા હનુમાજી જન્મોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તા. 21 એપ્રિલ રવિવારના રોજ પંચકર્મ વિધિ, ગ્રહપૂજન, આરતી અને તા. 22મીના સોમવારના રોજ અંદાડા ગામની રાજહંસ સોસાયટી ખાતેથી શોભાયાત્રા નીકળશે. તા. 23મીના મંગળવારના રોજ મહાપુજા, પ્રાણપ્રતિષ્ઠા, પુર્ણાહુતિ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ તા. 23મી એપ્રિલના રોજ રાત્રે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભક્તોને આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Next Story