અંકલેશ્વર: ધોળા દિવસે એક સાથે ચાર મકાનોમાં તસ્કરો ત્રાટકયા,લાખોના માલમત્તાની ચોરીની આશંકા
ONGC ગેટ સામેના આરવ એવન્યુમાં બપોરના સમયે તસ્કરોએ ચાર મકાનોને નિશાન બનાવી અંદાજિત અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
BY Connect Gujarat Desk17 Feb 2024 11:36 AM GMT
X
Connect Gujarat Desk17 Feb 2024 11:36 AM GMT
અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ ઑ.એન.જી.સી ગેટ સામેના આરવ એવન્યુમાં બપોરના સમયે તસ્કરોએ ચાર મકાનોને નિશાન બનાવી અંદાજિત અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર શહેર અને પંથકમાં ચોરીની ઘટનામાં સતત વધારો થયો છે.ત્યારે આજરોજ બપોરના સમયે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર ઑ.એન.જી.સી ગેટ સામે આવેલ આરવ એવન્યુને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ બંધ મકાનો તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરના સામાન વેરવિખેર કરી રોકડા અને ઘરેણાં મળી અંદાજિત અઢી લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસ સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવે તેવી માં
Next Story