અંકલેશ્વર: એસ.ટી.બસના ચાલકે મોપેડને ટક્કર મારતા 3 લોકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા
અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ડિસેન્ટ હોટલ પાસે એસટી બસ ચાલકે એકટીવા સવારોને ટક્કર મારતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી
BY Connect Gujarat Desk8 April 2023 11:41 AM GMT
X
Connect Gujarat Desk8 April 2023 11:41 AM GMT
અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ડિસેન્ટ હોટલ પાસે એસટી બસ ચાલકે એકટીવા સવારોને ટક્કર મારતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી
ગત રોજ રાતના સમયે એકટીવા નંબર-જી.જે.૧૬.બી.એમ.૮૯૧૦ લઇ ત્રણ યુવાનો અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અમદાવાદ-માલેગાંવ જતી એસટી બસના ચાલકે એકટીવા સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણેય લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અકસ્માત અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
Next Story