/connect-gujarat/media/post_banners/956ad52e344aed4b3de9f5cf8fe57088bb30f75ad268cffd69f2dd8232e06ee0.webp)
અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ડિસેન્ટ હોટલ પાસે એસટી બસ ચાલકે એકટીવા સવારોને ટક્કર મારતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી
ગત રોજ રાતના સમયે એકટીવા નંબર-જી.જે.૧૬.બી.એમ.૮૯૧૦ લઇ ત્રણ યુવાનો અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અમદાવાદ-માલેગાંવ જતી એસટી બસના ચાલકે એકટીવા સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણેય લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અકસ્માત અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.