અંકલેશ્વર: ભાદી ગામે પ્રો લાઈફ ગ્રૂપના સહયોગથી અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ, MLA ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે પ્રો લાઈફ ગૃપના સહયોગથી અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ એકેડમીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

New Update
અંકલેશ્વર: ભાદી ગામે પ્રો લાઈફ ગ્રૂપના સહયોગથી અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ, MLA ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે પ્રો લાઈફ ગૃપના સહયોગથી અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ એકેડમીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા બાળકો અને યુવાનોમાં રહેલી ખેલ પ્રતિભા બહાર આવે એ માટે તાલુકાનાં ભાદી ગામ ખાતે અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ એકેડમીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પ્રો લાઈફ ગ્રૂપના MD કરણસિંગ જોલી, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અનિલ પટેલ,ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય આરતી પટેલ,અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ વિનય વસાવા તેમજ ભાદી તેમજ આસપાસના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રો લાઈફ ગૃપના ફાઉન્ડર સ્વ. એમ.એસ.જોલીની પ્રેરણાથી ગૃપના MD કરણસિંગ જોલીના સહયોગથી ભાદી ગામના સરપંચ જૂનેદ વડીયા દ્વારા આ અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને પ્રો લાઈફ ગ્રૂપના MD કરણસિંગ જોલીએ રીબીન કટિંગ તેમજ ક્રિકેટ રમી ઉદ્ઘાટન કર્યું હતું.

આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિવિધ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે જેમાં ડ્રેસિંગ રૂમ,ટફ વિકેટ,પેવેલિયનનો સમાવેશ થાય છે અને આવનારા સમયમાં અહી મોટી ટુર્નામેન્ટ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં અહી ક્રિકેટ એકેડમી પણ શરૂ થશે જેમાં અનુભવી ટ્રેનરો દ્વારા ખેલાડીઓને ક્રિકેટ સહિતની રમતોની તાલીમ આપવામાં આવશે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.
Latest Stories