અંકલેશ્વર: ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટયુ,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અંકલેશ્વરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

અંકલેશ્વર: ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટયુ,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
New Update

અંકલેશ્વરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. અંકલેશ્વરના ભરુચી નાકા નજીક આવેલ હરિદર્શન સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા સહિતના આગેવાનો અને સંતો મહંતોના હસ્તે શ્રી ફળ વધેરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રા સમયે કોઈ અનીરછનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

#Ankleshwar #Lord Jagannath #BeyondJustNews #police presence #Jay Jagannath #Connect Gujarat #Rath Yatra #Gujarat
Here are a few more articles:
Read the Next Article