અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટ નજીકથી મહિલાના મોબાઇલની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી
શાકભાજીની ખરીદી વેળા અજાણ્યો ઇસમ તેઓની પત્નીના ખિસ્સામાં રહેલ ૧૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો
BY Connect Gujarat4 May 2023 11:23 AM GMT
X
Connect Gujarat4 May 2023 11:23 AM GMT
અંકલેશ્વરના ત્રણ રસ્તા શાક માર્કેટ પાસેથી મહિલાના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલ સાગર પાર્ક ખાતે રહેતા કિરણકુમાર રાજેન્દ્ર સૂર્યવંશી ગત તારીખ-૩૦મી એપ્રિલના રોજ પોતાની પત્ની સાથે અંકલેશ્વરના ત્રણ રસ્તા શાક માર્કેટ ખાતે શાકભાજીની ખરીદી કરવામાં આવ્યા હતા તે દરમિયાન શાકભાજીની ખરીદી વેળા અજાણ્યો ઇસમ તેઓની પત્નીના ખિસ્સામાં રહેલ ૧૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો મોબાઈલ ફોનની ચોરી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Next Story