અંકલેશ્વર : ઉમરવાડા ONGC કુવા વિસ્તારમાંથી વાયરોની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર, પોલીસ તપાસ શરૂ...
ઉમરવાડા રેલ્વે ક્રોસિંગ નજીક આવેલ ONGC કુવાના વિસ્તારમાંથી વિવિધ મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
BY Connect Gujarat Desk10 Nov 2022 10:58 AM GMT
X
Connect Gujarat Desk10 Nov 2022 11:31 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઉમરવાડા રેલ્વે ક્રોસિંગ નજીક આવેલ ONGC કુવાના વિસ્તારમાંથી વિવિધ મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના ઉમરવાડા રેલ્વે ક્રોસિંગ પાસે ONGC કંપનીનો કુવો આવેલ છે. જે કુવાની આસપાસના વિસ્તારને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તસ્કરોએ સિંગલ કોરના વાયરો કાપી તેમાંથી 20 મીટર જેટલા વાયરોની ચોરી કરી હતી, જ્યારે રૂપિયા 2 લાખથી વધુના વાયરોને નુકશાન પહોંચાડ્યું હતું.
આ સાથે જ તસ્કરો 30 હજારથી વધુના સિંગલ કોરના વાયરોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવના પગલે ONGCના કર્મચારીએ અંકલેશ્વર એ' ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે હાલ તો ચોરી મામલે પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.
Next Story