અંકલેશ્વર: ઊંટિયાદરા લૂંટ વિથ ત્રિપલ મર્ડર કેસમાં આરોપી ઝબ્બે, 2019 માં પીજી ગ્લાસમાં બની હતી ઘટના
અંકલેશ્વર: ઊંટિયાદરા લૂંટ વિથ ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
BY Connect Gujarat13 July 2023 6:55 AM GMT
X
Connect Gujarat13 July 2023 6:55 AM GMT
અંક્લેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામની સીમમાં આવેલ બંધ પી.જી.ગ્લાસ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં વર્ષ 2019 માં 40 જેટલા લૂંટારું ત્રાટક્યા હતા. તેમના હિંસક હૂમલામાં ફરજ ઉપરના ૩ સિક્યુરીટી ગાર્ડના ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યા હતા. જ્યારે 4ને ગંભીર ઇજા પહોંચી હતી.
જે તે સમયે પોલીસે પાંચ લૂંટારુંઓને અને બાદમાં લૂંટારૂઓ ઝડપી પાડ્યાં હતાં. દરમિયાનમાં ભરૂચ એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ત્રિપલ મર્ડરના કેસમાં સંડોવાયેલો અમન રાકેશ કૌશલ સુરત ખાતે અમરોલી વિસ્તારમાં કોસાડ ખાતે રહે છે અને તે હાલ ઘરે જ છે જેથી તુરંત ટીમે પહોંચી તેને ઝડપી પાડી ભરૂચ લઇ આવ્યાં હતાં.
જે બાદ આરોપીને અંક્લેશ્વર તાલુકા પોલીસને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે લૂંટારો ટેમ્પો લઇને આવ્યાં હતાં.
Next Story