Connect Gujarat
ભરૂચ

ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ફરી એકવાર અકસ્માત, કારની ટક્કરે બાઇક સવારનું મોત

ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત નિપજયુ હતુ.

X

ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત નિપજયુ હતુ.

ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો માં અર્ગ અકસ્માત ઝોન બની રહયો છે ત્યારે આજે ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો જેના બાઇક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ હતું.ભરૂચ તરફથી મુસાફરોને બેસાડીને આવતી ઇકો કારના ચાલકે ભૂત મામાની ડેરી નજીક બાઇકને ટક્કર મારી હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતું. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી. આ તરફ કારમાં સવાર 2થી વધુ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ

Next Story