Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પાલિકા દ્વારા મુખ્ય માર્ગોની સાફ સફાઈ, પાલિકાના સત્તાધીશો રહ્યા હાજર

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ

X

સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

મુખ્ય માર્ગોની સફાઈના ઝુંબેશરૂપે સફાઈ કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગોની સાફ સફાઈ ઝુંબેશરૂપે સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોની સાફ સફાઈ ઝુંબેશરૂપે સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.

આ સફાઈ અભિયાનમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, હેલ્થ એન્ડ શેનીટેશનના ચેરમન સુરેશ પટેલ, અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ પાલિકાના સફાઈકર્મીઓ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

Next Story