ભરૂચ-અંકલેશ્વરમાં સેવાસેતુ કાર્યક્રમ થકી લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો સ્થળ પર જ અપાયો લાભ

આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિત નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, નગર સેવકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
ભરૂચ-અંકલેશ્વરમાં સેવાસેતુ કાર્યક્રમ થકી લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો સ્થળ પર જ અપાયો લાભ

ભરૂચના પંડિત ઓમકારનાથ હૉલ ખાતે અને અંકલેશ્વરમાં માં શારદા ભવન હૉલ ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સેવાસેતૂ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિત નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, નગર સેવકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.તે સાથે જ અંકલેશ્વરમાં પણ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુના કાર્યક્રમ દરમિયાન અરજદારોના વિવિધ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.