ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે તું તું મે મે, જાણો શું હતો સમગ્ર મામલો

ભરુચના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી.

New Update
ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે તું તું મે મે, જાણો શું હતો સમગ્ર મામલો

ભરુચના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી. જે દરમિયાન મામલો વધુ ગરમાતા ડેડીયાપાડા પોલીસે વચ્ચે આવી મામલો થાળે પાડ્યો હતો.

ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે સામ સામે આવી ગયેલા ભરૃચના ભાજપાના સાંસદ મનસુખ વસાવા અને 'આપ'ના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે એ હદે તુતુ મેમે અને બોલાચાલી થઇ ગઇ હતી કે જો પોલીસ સમયસર પહોંચી નહતો તો આ બન્ને વચ્ચે હાથાપાઇ થઇ ગઇ હોત. આ ઘટના વખતે બન્ને જુથના ટેકેદારો પણ ઉમટી પડયા હતા અને મામલો ઉગ્ર બની ગયો હતો. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમ થકી પોસ્ટ કરી હતી કે 'ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યા છે. ભાજપના લોકો ભેગા થાવ અને તાલુકા પંચાયત કચેરીએ પહોંચો હું નીકળી ગયો છું' જો કે મનસુખ વસાવા અને તેના સમર્થકો તાલુકા પંચાયત કચેરીએ પહોંચે તે પહેલાથી જ ચૈતર વસાવા તેના સમર્થકો સાથે ત્યા હાજર જ હતા એટલે બન્ને પક્ષે તણાવ ઉભો થયો હતો. આ સમયે જ ચૈતર વસાવાએ મનસુખ વસાવાને સવાલો કરતા સામે મનસુખ વસાવાએ પણ તેની ટિપીકલ સ્ટાઇલમાં જ જવાબો આપતા વાતાવરણ ઉગ્ર બની ગયુ હતું.

ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં ભરૃચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય તથા લોકસભાની ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે ઘર્ષણ બાદ મોડીરાત્રે ચૈતર વસાવા નર્મદા જિલ્લા ડીવાયએસપી લોકેશ યાદવને મળીને લેખીતમાં રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે જો ખોટો કેસ થશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી કે મે ડેડિયાપાડા ટીડીઓને ધમકાવ્યા હોય તેવી કોઇ ઘટના બની નહી હોવા છતાં ભરૃચના સાંસદ મનસુખ વસાવાએ ખોટો બનાવ ઉપજાવી કાઢીને અશાંતિનો માહોલ કરેલ છે અને તાલુકા વિકાસ અધિકારીને ખોટો કેસ ઉભો કરવા દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે જે મારી રાજકીય કારકિર્દીને ખતમ કરવા કાવત્રુ છે જેના કારણે આ વિસ્તારની શાંતીનો ભંગ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવા તથા ભાજપના આગેવાનોની રહેશે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories