ભરૂચ:1357 બુથો અને શક્તિ કેન્દ્ર ઉપર વડાપ્રધાનના મન કી બાત કાર્યકમના 100 માં એપિસોડનું આયોજન
PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના રવિવારે 100 માં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદગાર બનાવવા મેગા આયોજન કરાયું હતું.
BY Connect Gujarat Desk30 April 2023 10:33 AM GMT
X
Connect Gujarat Desk30 April 2023 10:33 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના રવિવારે 100 માં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદગાર બનાવવા મેગા આયોજન કરાયું હતું.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાતના 100 માં એપિસોડને યાદગાર અને અવિસ્મરિય બનાવવા મોટા પાયે આયોજન કર્યું હતું.ભરૂચ જિલ્લાના તમામ 1357 બુથો પર મન કી બાત કાર્યકમના 100માં એપિસોડને નિહાળવા, સાંભળવા તેમજ માણવાનું આયોજન કરાયું હતું.
ભરૂચમાં ભાજપ દ્વારા તમામ બુથ સાથે દરેક શક્તિ કેન્દ્ર ઉપર પણ મન કી બાત નો 100 મો કાર્યકમ યોજાયો, જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, રીતેશ વસાવા પણ જોડાયા હતા.જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ,શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, અન્ય આગેવાનો, પદાધિકારીઓ સહિતના કાર્યકમમાં સહભાગી બન્યા હતા.
Next Story