ભરૂચ: નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી,દર્દીનો જીવ મુકાયો જોખમમાં

ભરૂચના નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો

New Update
ભરૂચ: નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી,દર્દીનો જીવ મુકાયો જોખમમાં

ભરૂચના નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો

Advertisment W3.CSS

નેત્રંગથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ દર્દીને જતી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે અર્ધ વચ્ચે બંધ થઈ જતા દર્દીનો જીવ મુશ્કેલીમાં મુકાયો હતો વાત કરવામાં આવે તો નેત્રંગ તાલુકાના આદિત્ય વસાવા નામના વ્યક્તિની બાઇક સ્લીપ થઈ જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જેને તાત્કાલિક નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો જેની હાલત ગંભીર જણાતા તબીબો દ્વારા તેને ભરૂચ સિવિલ ખાતે ખસેડવા જણાવ્યું હતું જ્યાં હાજર 108 એમ્બ્યુલન્સ તેને નેત્રંગથી ભરૂચ સિવિલ ખાતે લઈ જવા નીકળી હતી જેને લઈ જતી 108 એમ્બ્યુલન્સ માલજીપુરા પાટીયા પાસે બિસ્માર રસ્તાના કારણે એમ્બ્યુલન્સમાં ટેકનિકલ ખામી સર્જાય હતી. જેથી ગંભીર ઇજાગ્રસ્ત દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો.જોકે એક કલાકના સમયગાળા દરમિયાન અન્ય 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચતા ભરૂચ હોસ્પિટલ ખાતે લઈ જવા રવાના થઈ હતી.