ભરૂચ: અંકલેશ્વરના 13 વર્ષીય બાળકે સૂઝબૂઝથી સ્પાઇડર રોબોટ બનાવ્યો, પ્રોજેકટ લોકોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર

તાલુકાના અંદાડા ગામના બાળકને નાનપણથી જ અવનવુ સર્ચ કરવાનો, ઇલેક્ટ્રિક સેલનો ઉપયોગ કરી કંઈકને કંઈક નવું શોધવાનો શોખ હતો.

New Update
ભરૂચ: અંકલેશ્વરના 13 વર્ષીય બાળકે સૂઝબૂઝથી સ્પાઇડર રોબોટ બનાવ્યો, પ્રોજેકટ લોકોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના 13 વર્ષીય બાળકે સ્પાઇડર રોબોટનું નિર્માણ કર્યું છે

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના બાળકને નાનપણથી જ અવનવુ સર્ચ કરવાનો, ઇલેક્ટ્રિક સેલનો ઉપયોગ કરી કંઈકને કંઈક નવું શોધવાનો શોખ હતો. 13 વર્ષીય કિશોર ઈર્શાદ હાલ ઇલેક્ટ્રિક સેલ સહિતની વેસ્ટ વસ્તુઓમાંથી રોબોટ અને સ્પાઇડર બનાવી બાળ વૈજ્ઞાનિક બન્યો છે સાયકલ રીપેરિંગ કામ કરતા મુલતાની પરીવારના 13 વર્ષીય ઈર્શાદને ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા વ્યકત કરી છે. માત્ર 13 વર્ષની નાની વયે ઈર્શાદે વેસ્ટ મટીરીયલમાંથી 6 ઇંચનો રોબર્ટ અને 4 ઇંચનો ઇલેક્ટ્રોનિક સ્પાઈડર બનાવ્યો છે. શાળામાં યોજાતા વિજ્ઞાન મેળાઓ જોઈને ઈર્શાદે પોતાના મનમાં ચાલતા વિચારોને ઇનોવેટીવ સ્વરૂપ આપ્યું છે. ઇનોવેશન રૂપે રોબોટ અને સ્પાઇડરની પ્રતિકૃતિ મનમાં તૈયાર કરી હતી.6 ઇંચના રોબોટમાં સેલ જોઈન્ટ કરતા જ તે ફટાફટ ચાલવા લાગ્યો હતો. રોબોટએ ઈર્શાદના ઇનોવેશનને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ તેને વધુ પ્રોત્સાહન મળ્યુ હતું જેથી તેણે થોડા જ સમયમાં તાર અને બેટરીની મદદ વડે માત્ર 4 ઇંચનુ સ્પાઈડર બનાવ્યુ હતુ  

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. 
Latest Stories