ભરૂચ: આમોદના કાંકરીયા ગામે ધર્માંતરણના કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ,જુઓ શું હતો રોલ

આમોદ પોલીસ સ્ટેશનનાં કાકરીયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમા અત્યાર સુધી 14 કટ્ટરપંથીઓની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરાઈ હતી.

New Update
ભરૂચ: આમોદના કાંકરીયા ગામે ધર્માંતરણના કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ,જુઓ શું હતો રોલ

ભરૂચના આમોદ તાલુકાના 150 આદિવાસી પરિવારોના ચકચારી ધર્માંતરણ પ્રકરણમાં SOG એ વધુ 2 આરોપીની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આમોદ પોલીસ સ્ટેશનનાં કાકરીયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમા અત્યાર સુધી 14 કટ્ટરપંથીઓની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરાઈ હતી.જેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જ્યારે કુલ 21 આરોપીઓ સામે લોભ,પ્રલોભન અને વિદેશ સહિતથી અવૈદ્ય ફન્ડિંગ દ્વારા આચરાયેલા આ પ્રકરણમાં ગુનો દાખલ કરાયો છે. જેમાં મૂળ નબીપુર અને હાલ લંડન રહેતા અબ્દુલ્લા ફેફડવાલા સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરાઈ છે.ફન્ડિંગ એકત્ર કરી આપનાર ફેફડવાલાને ધર્માંતરણ માટે ભરૂચ બોલાવી આમોદના કાંકરિયા ગામે બેઠક યોજવનાર એક આરોપી સરફરાજ સહિત વધુ બે ને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે હીરાસતમાં લીધા છે.આછોદના સુથાર ફળિયામાં રહેતો સરફરાજ ઉર્ફે જાવીદ ખુજી ઉર્ફે જાવીદ મુફતી સલીમ હશન યુસુફ ઈબ્રાહીમ પટેલે લંડનથી ફેફડવાલાને બોલાવી ધર્માંતરણ પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે નડિયાદના ઈદાયત નગરમાં રહેતા રમીઝરાજા ઉર્ફે ઓવેશ અબ્દુલગની અબ્દુલરહીમ ખાનજી દ્વારા પણ પ્રલોભન આપવામાં ભાગ ભજવાયો હતો.બન્ને આરોપીઓ દ્રારા મુસ્લીમ ધર્મ પરિવર્તન કરેલ લોકો માટે હાથ લારીઓ તથા અનાજ , કપડા , દવા તથા કાંકરીયા ગામના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પૈસાની લાલચ અપાઈ હતી. એટલું જ નહીં નોકરીનું પ્રલોભન, હેરાનગતિમાંથી છુટકારો અપાવી તેમજ ધાર્મિક શિક્ષણ આપી ધર્માંત્તરણ કરાવતા હતા.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
Latest Stories