ભરૂચ : પાલેજ નજીક આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા, 12 વર્ષીય બાળકનું સારવાર દરમ્યાન મોત...

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર બ્રિજના છેડે આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.

New Update
ભરૂચ : પાલેજ નજીક આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા, 12 વર્ષીય બાળકનું સારવાર દરમ્યાન મોત...

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર બ્રિજના છેડે આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી. જેમાં ગંભીર ઇજાના પગલે સારવાર દરમ્યાન એક બાળકનું મોત નીપજયું હતું, જ્યારે 2 લોકોને વધુ સારવાર અર્થે બરોડા રીફર કરવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, મૂળ યુપીના અને હાલ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે મામાના ઘરે રહેતો 12 વર્ષીય ભાણીયો યશકુમાર અને બહેન ગાયત્રીબેન અને જ્યોતિબેન બસમાં આવ્યા હતા. તેઓ ગતરોજ રાત્રીના સમયે પાલેજ બ્રિજના છેડે ઉતરતા એક આઈસર ટેમ્પો ચાલકે એક બાળક સહિત 3 લોકોને અડફેટમાં લીધા હતા. અકસ્માતમાં ત્રણેય લોકોને ગંભીર ઇજાઓ પહોચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાના પગલે 12 વર્ષીય યશકુમાર પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોય જેથી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જીને ટેમ્પો ચાલક સ્થળ પર ટેમ્પો મુકી ફરાર થઇ ગયો હતો. તો બીજી તરફ, અકસ્માતની જાણ થતાં જ પાલેજ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી આઈસર ટેમ્પો ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.

Latest Stories