ભરૂચ : જુના સરદાર બ્રિજ નજીક રેલિંગ સાથે ભટકાતાં પીકઅપ વાનની છત પર બેઠેલા 3 લોકોના મોત…

ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર જુના સરદાર બ્રિજ નજીક લગાડેલી એંગલમાં પીકઅપ વાનની છત ઉપર બેઠેલા લોકો ભટકાયા હતા.

New Update
ભરૂચ : જુના સરદાર બ્રિજ નજીક રેલિંગ સાથે ભટકાતાં પીકઅપ વાનની છત પર બેઠેલા 3 લોકોના મોત…

ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર જુના સરદાર બ્રિજ નજીક લગાડેલી એંગલમાં પીકઅપ વાનની છત ઉપર બેઠેલા લોકો ભટકાયા હતા. જેમાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 ઉપર જુના સરદાર બ્રિજમાં ભારે વાહનનો પ્રવેશ અટકાવવા લગાડાયેલી રેલિંગમાં ગત ધૂળેટીની રાત્રિએ પીકઅપ વાનની છત ઉપર બેઠેલા 5 લોકો ભટકાયા હતા. નારેશ્વર દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત નડ્યો હતો. જોકે, હોસ્પિટલ ખસેડાયેલા રમેશભાઇ તથા અક્ષીતભાઇને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ટૂંકી સારવાર બાદ વધુ એક વ્યક્તિએ અંતિમ શ્વાસ લીધો હતો. જોકે, એક જ પરિવારના 3 લોકોના મોત નિપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસે મૃતદેહોને પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી પીકઅપ વાનના ચાલાક કેશભાઇ માંગુકીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.