Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં 70 પ્રશ્નો રજૂ કરાયા,જમીન સંપાદનનો પ્રશ્ન રહ્યો મુખ્ય

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનમંચ કાર્યક્રમનું રેલ્વે સ્ટેશન સર્કલ નજીક આયોજન કરવામાં આવ્યું હતુ.

X

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનમંચ કાર્યક્રમનું રેલ્વે સ્ટેશન સર્કલ નજીક આયોજન કરવામાં આવ્યું હતુ. જેમ ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અમિત ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

આજ રોજ ભરૂચના સ્ટેશન સર્કલ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા,AICCના આગેવાન મુમતાઝ પટેલ,ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા,સંદીપ માંગરોળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જનમંચ કાર્યક્રમમાં જાહેર જનતાને એમના પ્રશ્નો રજુ કરવા માટેનો મંચ કોંગ્રેસ પાર્ટીએ આપ્યો હતો સાથે જ એમના પ્રશ્નોને જનસભાથી વિધાનસભા સુધી લઇ જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતુ.કાર્યક્રમમાં રાજ્ય સરકાર અને તંત્ર સામેના અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

Next Story