ભરૂચ: ઉમલ્લા નગરમાં સ્થાનિક પોલીસ તેમજ UP પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ

ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઇ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: ઉમલ્લા નગરમાં સ્થાનિક પોલીસ તેમજ UP પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ

ઝઘડીયાના ઉમલ્લા નગરના વિવિધ વિસ્તારોમાં પીએસઆઈ એન.જી. ટાપરીયા તેમજ UP પોલીસના સબ ઇન્સ્પેકટર આશિષ કુમારની આગેવાનીમા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઇ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના જવાનો સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી. વિવિધ વિસ્તારમાં ફમેગમાર્ચ યોજાઈ હતી.આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અશાંતિ ન ફેલાય તેવા હેતુસર ઉમલ્લા નગરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.