ભરૂચ: ઉમલ્લા નગરમાં સ્થાનિક પોલીસ તેમજ UP પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ

ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઇ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: ઉમલ્લા નગરમાં સ્થાનિક પોલીસ તેમજ UP પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ

ઝઘડીયાના ઉમલ્લા નગરના વિવિધ વિસ્તારોમાં પીએસઆઈ એન.જી. ટાપરીયા તેમજ UP પોલીસના સબ ઇન્સ્પેકટર આશિષ કુમારની આગેવાનીમા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઇ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના જવાનો સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી. વિવિધ વિસ્તારમાં ફમેગમાર્ચ યોજાઈ હતી.આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અશાંતિ ન ફેલાય તેવા હેતુસર ઉમલ્લા નગરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment