Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના પાણેથા ગામ તળાવમાંથી મહાકાય મગર ઝડપાયો, ગ્રામજનોમાં રાહતનો શ્વાસ...

મહાકાય મગર વન વિભાગના પાંજરે ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભરૂચ : ઝઘડીયાના પાણેથા ગામ તળાવમાંથી મહાકાય મગર ઝડપાયો, ગ્રામજનોમાં રાહતનો શ્વાસ...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામ તળાવમાંથી મહાકાય મગર ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના કાંકરિયા તળાવમાં થોડા દિવસ પહેલા મગર નજરે પડ્યો હતો. જે બાદ ગ્રામજનોમાં ભય ફેલાયો હતો, ગામના તળાવમાં મગર હોવાની જાણ સ્થાનિકો દ્વારા ઉમલ્લા વન વિભાગની કચેરી ખાતે કરવામાં આવતા ઉમલ્લા વન વિભાગ દ્વારા મગરને ઝડપી પાડવા માટે પાજરું ગોઠવવામાં આવ્યું હતું.

ત્યારબાદ ગામના સ્થાનિકો દ્વારા ઉમલ્લા વન વિભાગને જાણ કરવામાં આવી હતી કે, પાંજરામાં મગર આવી ગયો છે. જેની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ઉમલ્લા વન વિભાગ કચેરીના રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી.વસાવા તેમજ શકુના વસાવા, હરેશ ભરાડીયા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાંથી મગરને ઉમલ્લા કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મગરને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થળે છોડી મુકવામાં આવશે. તો બીજી તરફ, મહાકાય મગર વન વિભાગના પાંજરે ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story