Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિનું ઉજવણી નિમિત્તે આમોદ નગરમાં યોજાય ભવ્ય રેલી...

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજાઈ હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદની વેશભૂષા ધારણ કરી જોડાયા હતા.

X

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજાઈ હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદની વેશભૂષા ધારણ કરી જોડાયા હતા.

ભારતીય સંસ્કૃતિનું વિશ્વને ભાન કરાવનાર અને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર યુવા સંત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચના આમોદ નગર સ્થિત સંસ્કાર વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને કુમકુમ તિલક કરી આશીર્વાદ લીધા બાદ શાળામાંથી વિદ્યાર્થીઓ દ્વારા 'ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો'ના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. શાળાના શિક્ષકો પણ રેલીમાં જોડાયા હતા. શાળાના બાળકો સ્વામી વિવેકાનંદની વેશભૂષા ધારણ કરી રેલીમાં જોડાયા હતા. આ રેલી આમોદના જનતા ચોક, તિલક મેદાન, દિલાવર મંઝીલ સહિતના વિસ્તારોમાં ફરી હતી. સ્વામી વિવેકાનંદના વિચારોથી બાળકોનું ઘડતર થાય અને ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ રહે તે હેતુથી આમોદ સંસ્કાર વિદ્યાલય દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story