ભરૂચ: સર્વનમન વિદ્યામંદિરમાં મેનેજમેન્ટે કરેલા એક મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું,જુઓ શું છે મામલો

ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યામંદિરમાં અચાનક મેનેજમેન્ટે કરેલા મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

New Update
ભરૂચ: સર્વનમન વિદ્યામંદિરમાં મેનેજમેન્ટે કરેલા એક મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું,જુઓ શું છે મામલો

ભરૂચના ઝાડેશ્વર સ્થિત સર્વ નમન વિદ્યામંદિરમાં અચાનક મેનેજમેન્ટે કરેલા મેસેજથી 450 દીકરીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સોખડાથી રેસિડેન્સીયલ સ્કૂલમાં 8 સાધ્વીબેનોને મૂકી દેવાના વિરોધમાં વિફરેલા વાલીઓએ શાળામાં હંગામો મચાવ્યો હતો.

ભરૂચ ઝાડેશ્વર નીલકંઠ મહાદેવ મંદિરની સામે આવેલી સર્વનમન વિદ્યામંદિર વર્ષ 2004થી કાર્યરત છે. આ રેસિડેન્સીયલ સ્કૂલમાં 450 દીકરીઓ અભ્યાસ કરે છે. હરિધામ સોખડા સંચાલિત આ સ્કૂલમાં મેનેજમેન્ટમાં બદલાવના એક મેસેજે વાલીઓને ચિંતામાં ગરકાવ કરી દીધા હતા.આજે બુધવારે પ્રેમ સ્વામી અને ત્યાગ સ્વામીના જૂથે સ્કૂલ કબ્જો કરવાનો કારશો ઘડેલો છે તેવા મેસેજ સાથે અહીં અભ્યાસ કરતી દીકરીઓના માતા-પિતા મોરચો લઈ શાળાએ પોહચ્યા હતા. દીકરીઓની પરીક્ષા 17 મીથી શરૂ થઈ રહી છે. અને દીકરીઓની સેવામાં જે સાધ્વી બહેનો 17 વર્ષથી અહીંયા મૂકેલા છે એમને કાઢી મૂકવાની પેરવીના આક્ષેપ સાથે વાલીઓએ સ્કૂલમાં હંગામો મચાવ્યો હતો.સ્થાનિક સંચાલકોએ વાલીઓને મેસેજ છોડ્યા હતા કે, હરિધામથી બહેનો આવી છે. દીકરીઓ આંનદ કરી રહી છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સંસ્થાના હિત શત્રુઓ દ્વારા ચિંતા થાય અને ગેરમાર્ગે પોહચાડે તેવી વાતો સોશ્યલ મીડિયા થકી વાલીઓ સુધી પોહચાડી છે. હરિધામથી 8 બહેનો બોલાવી નવી કમિટી રચાય છે. આ એક મેસેજે વાલીઓની ચિંતા વધારી તેમને વિચારતા કરી દીધા હતા. વાળીઓનું ટોળું આજે શાળાએ પોહચી મેનેજમેન્ટમાં ફેરફાર ચાલુ સત્રમાં કેમ કર્યા. વેકેશનમાં નવા સત્રમાં બદલાવ થઈ શક્યો હોત સહિતના સવાલોનો મારો ચલાવ્યો હતો. સામે પરીક્ષાઓ હોય ત્યારે ચાલુ સત્રમાં સ્ટાફ બદલવા સામે વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. વિવાદને પગલે દરમિયાનગીરી કરવા સી ડિવિઝન પોલીસે પણ દોડી આવવું પડ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories