Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંગાર ગામે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, નબીપુર પોલીસે તપાસ હાથ ધરી...

ભરૂચ જિલ્લાના નબીપુર નજીક આવેલ જંગાર ગામ ખાતે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

X

ભરૂચ જિલ્લાના નબીપુર નજીક આવેલ જંગાર ગામ ખાતે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના નબીપુર નજીક આવેલ જંગાર ગામના 35 વર્ષીય યુવાન સુહેલ મોહમ્મદ દિલીપ ઉર્ફે સુલતાન નામના વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. સુલતાનની ગળા તેમજ હાથના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યાનો બનાવ સામે આવતા જ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે ગામમાં લોકોના ટોળાં ભેગા થયા હતા. આ તરફ, બનાવની જાણ થતાં જ નબીપુર પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નબીપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, નવી નગરી વિસ્તારમાં રહેતા 3 લોકોએ સુલતાનને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે હાલ તો હત્યા કયા કારણોસર કરવામાં આવી છે, તે દિશામાં નબીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story