ભરૂચ : જંગાર ગામે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, નબીપુર પોલીસે તપાસ હાથ ધરી...

ભરૂચ જિલ્લાના નબીપુર નજીક આવેલ જંગાર ગામ ખાતે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
ભરૂચ : જંગાર ગામે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, નબીપુર પોલીસે તપાસ હાથ ધરી...

ભરૂચ જિલ્લાના નબીપુર નજીક આવેલ જંગાર ગામ ખાતે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના નબીપુર નજીક આવેલ જંગાર ગામના 35 વર્ષીય યુવાન સુહેલ મોહમ્મદ દિલીપ ઉર્ફે સુલતાન નામના વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. સુલતાનની ગળા તેમજ હાથના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યાનો બનાવ સામે આવતા જ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે ગામમાં લોકોના ટોળાં ભેગા થયા હતા. આ તરફ, બનાવની જાણ થતાં જ નબીપુર પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. નબીપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, નવી નગરી વિસ્તારમાં રહેતા 3 લોકોએ સુલતાનને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે હાલ તો હત્યા કયા કારણોસર કરવામાં આવી છે, તે દિશામાં નબીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.