ભરૂચ: નગર સેવા સદન દ્વારા વેરા વધારાની સૂચિત દરખાસ્ત સામે આપનો વિરોધ, થાળી વગાડી વિરોધ વ્યક્ત કરાયો
ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે આપ દ્વારા થાળી વગાડી વિરોધ કરવા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk8 May 2023 10:53 AM GMT
X
Connect Gujarat Desk8 May 2023 10:53 AM GMT
ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે આપ દ્વારા થાળી વગાડી વિરોધ કરવા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ નગરપાલિકાના સૂચિત વેરા વધારા સામે વિરોધ વંટોળ ઊભો થઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દે આગળ આવી પાલિકા ખાતે થાળી વગાડી વેરા વધારા સામે વિરોધ વ્યક્ત કરાયો હતો તેમજ તે બાદ મુખ્ય અધિકારી તેમજ પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી સૂચિત વેરા વધારાને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.
બીજી બાજુ આપની વેરા વધારા રદ કરવાની રજૂઆત બાદ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ આ સૂચિત વેરા વધારા અંગે સામાન્ય સભામાં ઠરાવ કરી પ્રજાજનોની વાંધા અરજીઓ મંગાવવામાં આવી છે અને તેના આધારે પાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવનાર છે એમ જણાવ્યુ હતું
Next Story