ભરૂચ : AAPના કાર્યકરોએ ગળે ફાંસીનો ફંદો લગાવી મોંઘવારીના માર સામે અનોખો વિરોધ દર્શાવ્યો...

AAPના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ દર્શાવતા સૌકોઈમાં આકર્ષણ જમાવ્યું હતું.

New Update
ભરૂચ : AAPના કાર્યકરોએ ગળે ફાંસીનો ફંદો લગાવી મોંઘવારીના માર સામે અનોખો વિરોધ દર્શાવ્યો...

દેશમાં વધતી જતી મોંઘવારી સામે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં AAPના કાર્યકરોએ ફાંસીનો ફંદો લગાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર દેશમાં રાંધણગેસ અને તેલ સહિત શાકભાજીના ભાવ વધતા સામાન્ય વર્ગના લોકો પર મોંઘવારીનો બોજ વધ્યો છે. તો બીજી તરફ મોંઘવારીના કારણે ગૃહણીઓનું બજેટ પણ ખોરવાયું છે, ત્યારે ભરૂચ શહેરના પાંચબતી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જેમાં AAPના કાર્યકરોએ મોંઘવારીના પોસ્ટર સાથે ગળે ફાંસીનો ફંદો લગાવી કેન્દ્રની ભાજપ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, AAPના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ દર્શાવતા સૌકોઈમાં આકર્ષણ જમાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમ્યાન ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ઊર્મિ વાનાણી, ગોપાલ રાણા, પીયૂસ પટેલ, આકાશ મોદી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.