ભરૂચ: ગાયત્રી મંદિરના સ્થાપક અલખગીરી મહારાજ થયા બ્રહ્મલીન, ભક્તોમાં ઘેરા શોકનો માહોલ

ભરૂચના ગાયત્રી મંદિરના સ્થાપક મહામંડલેશ્વર શ્રીશ્રીશ્રી 1008 અલખગીરી મહારાજના નિધનથી મંદિર સંકુલમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ

New Update
ભરૂચ: ગાયત્રી મંદિરના સ્થાપક અલખગીરી મહારાજ થયા બ્રહ્મલીન, ભક્તોમાં ઘેરા શોકનો માહોલ

ભરૂચના ગાયત્રી મંદિરના સ્થાપક મહામંડલેશ્વર શ્રીશ્રીશ્રી 1008 અલખગીરી મહારાજના નિધનથી મંદિર સંકુલમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ

ભરૂચના ઝાડેશ્વર પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા અલખધામ વિશ્વ ગાયત્રી મંદિરના સ્થાપક કે જેઓને વર્ષ 2001માં મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી 1008 અલખગીરી મહારાજની પદવી પ્રાપ્ત થઈ હતી અને હજારો નર્મદા પરિક્રમા વાસીઓને ઓટલો અને રોટલો તેમજ તેમની સેવાચાકરી કરતા અલગગીરી મહારાજ છેલ્લા પાંચ વર્ષથી નાદુરસ્ત તબિયત હતી મોડી રાત્રે અલખગીરી મહારાજે અંતિમ શ્વાસ લેતા મંદિરમાં રહેતા અનુયાયીઓમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું શ્રીશ્રીશ્રી 1008 અલગગીરી મહારાજે અંતિમ શ્વાસ લીધો હોવાના અહેવાલો સોશિયલ મીડિયામાં વહેતા થતા જ અલગગીરી મહારાજના અંતિમ દર્શન માટે પણ સવારથી જ ભક્તો વિશ્વ ગાયત્રી મંદિરે આવી પહોંચ્યા હતા.ઝાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિરમાં 12:40એ અંતિમ શ્વાસ લેનાર ગાયત્રી મંદિરના સ્થાપક મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી 1008 અલખગીરી મહારાજના દેહને તેઓની જન્મભૂમિ આણંદના કાસોદ ગામે લઈ જવામાં આવશે.તારીખ 2/7/2023ના રોજ તેઓની અંતિમવિધિ કરવામાં આવશે.

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો, સંતો, મહંતો, મહાનુભવો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • નર્મદા લાઈફ લાઇન હોસ્પિટલનો પ્રારંભ

  • સંતો મહંતોની હાજરીમાં પ્રારંભ કરાયો

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • રાહત દરે સારવાર મળી રહેશે

અંકલેશ્વરમાં રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા નર્મદા હોસ્પિટલ પરિવાર દ્વારા નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો  શુભારંભ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે.ભરૂચ જિલ્લાની પ્રજાને આરોગ્ય સેવા રાહત દરે ઉપલબ્ધ કરાવનાર નર્મદા લાઈફ લાઈન હોસ્પિટલનું ઉદ્ઘાટન સાકેતધામના ગિરીશાનંદ સ્વામી અને વરિષ્ઠ સંઘ પ્રચારક હરીશ રાવલના હસ્તે સંતો, મહંતો, મહાનુભવો સહિતની વિશાળ ઉપસ્થિતિમાં કરાયું.
સાથે જ RSS ના હરીશભાઈ રાવલના 82 માં જન્મદિવસની પણ ઉજવણી કરાઈ. લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિભાગના સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત મહાનુભવો, સંતો, મહંતોએ ઉપસ્થિત રહી જયમીન પટેલ અને નર્મદા હોસ્પિટલ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.
Latest Stories