ભરૂચ:વટારીયા સુગર ફેકટરી દ્વારા શેરડીના ઓછા ભાવ અપાયા હોવાના આક્ષેપ, સભાસદોએ વિરોધ નોંધાવ્યો

વટારીયા સુગર. ફેકટરીની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં શેરડીના ભાવ ઓછા આપતા આજરોજ સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.

New Update
ભરૂચ:વટારીયા સુગર ફેકટરી દ્વારા શેરડીના ઓછા ભાવ અપાયા હોવાના આક્ષેપ, સભાસદોએ વિરોધ નોંધાવ્યો

ભરૂચના વાલિયાની વટારીયા સુગર. ફેકટરીની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં શેરડીના ભાવ ઓછા આપતા આજરોજ સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ-નર્મદા જિલ્લાની 3 સુગર ફેકટરીઓએ શેરડીના ભાવની જાહેરાત કરી છે.રાજયની 12 સુગર ફેકટરીમાંથી નર્મદાની ધારીખેડા સુગરે ત્રીજો સૌથી વધારે ભાવ જાહેર કર્યો છે.જયારે ભરૂચની વટારીયા સુગરે રાજયમાં સૌથી ઓછો ભાવ આપ્યો છે.વટારીયા સુગરના ભાવ જાહેર કરતાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે.ઓછા ભાવથી નારાજ સભાસદોએ કસ્ટોડીયનોને ઘેરવાની તૈયારીઓ બતાવી હતી કસ્ટોડીયના વહીવટથી ચાલતી વટારીયા સુગર દ્વારા 2,551 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.વટારીયા સુગરની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં 50 રૂપિયા ઓછા આપતાં સભાસદોમાં રોષ ફેલાયો છે.આજરોજ કિસાન સંઘ ભરુચ જિલ્લાના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા,નટવરસિંહ સોલંકી અને દેવુભા કાઠી સહિતના આગેવાનો અને સભાસદોએ સુગર ફેકટરી ખાતે પહોંચી કસ્ટોડીયન કમિટીના ડિરેક્ટર નિલેષ પટેલને રજૂઆત કરી હતી અને 3 હજારથી વધુ ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી હતી 

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.