ભરૂચ:વટારીયા સુગર ફેકટરી દ્વારા શેરડીના ઓછા ભાવ અપાયા હોવાના આક્ષેપ, સભાસદોએ વિરોધ નોંધાવ્યો

વટારીયા સુગર. ફેકટરીની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં શેરડીના ભાવ ઓછા આપતા આજરોજ સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.

New Update
ભરૂચ:વટારીયા સુગર ફેકટરી દ્વારા શેરડીના ઓછા ભાવ અપાયા હોવાના આક્ષેપ, સભાસદોએ વિરોધ નોંધાવ્યો

ભરૂચના વાલિયાની વટારીયા સુગર. ફેકટરીની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં શેરડીના ભાવ ઓછા આપતા આજરોજ સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ-નર્મદા જિલ્લાની 3 સુગર ફેકટરીઓએ શેરડીના ભાવની જાહેરાત કરી છે.રાજયની 12 સુગર ફેકટરીમાંથી નર્મદાની ધારીખેડા સુગરે ત્રીજો સૌથી વધારે ભાવ જાહેર કર્યો છે.જયારે ભરૂચની વટારીયા સુગરે રાજયમાં સૌથી ઓછો ભાવ આપ્યો છે.વટારીયા સુગરના ભાવ જાહેર કરતાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે.ઓછા ભાવથી નારાજ સભાસદોએ કસ્ટોડીયનોને ઘેરવાની તૈયારીઓ બતાવી હતી કસ્ટોડીયના વહીવટથી ચાલતી વટારીયા સુગર દ્વારા 2,551 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.વટારીયા સુગરની કસ્ટોડીયન કમિટીએ ગત સીઝન કરતાં 50 રૂપિયા ઓછા આપતાં સભાસદોમાં રોષ ફેલાયો છે.આજરોજ કિસાન સંઘ ભરુચ જિલ્લાના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા,નટવરસિંહ સોલંકી અને દેવુભા કાઠી સહિતના આગેવાનો અને સભાસદોએ સુગર ફેકટરી ખાતે પહોંચી કસ્ટોડીયન કમિટીના ડિરેક્ટર નિલેષ પટેલને રજૂઆત કરી હતી અને 3 હજારથી વધુ ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી હતી 

Read the Next Article

ભરૂચ: નર્મદા નદીની જળસપાટી 20 ફૂટને પાર, ડેમમાં પાણીની આવક ઘટી છતાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત !

નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવી રહ્યું છે

New Update
  • સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવક

  • નર્મદા નદીની જળસપાટીમાં વધારો

  • ગોલ્ડનબ્રિજ નજીક નદીની સપાટી 20 ફૂટ

  • ડેમમાં પાણીની આવક ઘટી

  • છતાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.95 લાખ ક્યુસેક પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર કરી ગઈ હતી ગુજરાતની જીવાદોરી સામાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની સતત આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે.નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર કરી ગઈ હતી. નર્મદા ડેમમાંથી ત્રણ લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે કાંઠા વિસ્તારોમાં નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. નદીની જળ સપાટી વધતા તંત્ર એલર્ટ મોડ પર છે અને કાંઠા વિસ્તારના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે.
Latest Stories