ભરૂચ : નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી વચ્ચે ઝઘડીયાના અનેક ગામોમાંથી લોકોને સ્થળાંતર કરાયા...

ઝઘડીયા તાલુકાના તરસાલી, જુનાપરા, ઓરપટાર, ટોઠીદ્રા સહિતના ગામોમાંથી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી વચ્ચે ઝઘડીયાના અનેક ગામોમાંથી લોકોને સ્થળાંતર કરાયા...

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, ત્યારે ઝઘડીયા તાલુકાના તરસાલી, જુનાપરા, ઓરપટાર, ટોઠીદ્રા સહિતના ગામોમાંથી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. જેના કારણે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ છલકાયો છે, ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાયું છે. ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં નર્મદા નદી સીઝનમાં પ્રથમવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે ઝઘડીયા તાલુકાના તરસાલી, જુનાપરા, ઓરપટાર, ટોઠીદ્રા સહિતના ગામોમાંથી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જેઓને ઝઘડીયાના બાલોત હાઇસ્કૂલ ખાતે રહેવા માટેની સગવડ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોની બોલવા-સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિર યોજાય

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા આયોજન

  • બાળકોની પરીક્ષણ શિબિર યોજાય

  • બોલવા-સાંભળવાની ક્ષમતા અંગેનું પરીક્ષણ

  • શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વરની  સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોની બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓમકાર સ્પીચ ક્લીનિકના ડોક્ટર દેવાંગી પટેલે સેવા આપી હતીમ પ્રજ્ઞા કાઉન્સિલિંગ સેન્ટર ખાતે આયોજિત શિબિરમાં બાળકોની બોલવા અને સાંભળવાની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઘણા બાળકોને નાનપણથી જ બોલવા અને સાંભળવાની તકલીફ હોય છે જે અંગેનું પરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન વાલીઓને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓમકાર ગ્રુપના હસમુખભાઈ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી નિલેશભાઈ પટેલ, અલ્કેશભાઇ, ભાવિશાબહેન અને ભુપતભાઈ સહિતના આગેવાનો તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories