ભરૂચ: અંકલેશ્વર નજીક ટૂંક સમયમાં એરસ્ટ્રીપ શરૂ થાય એવા એંધાણ,જુઓ કોણે કરી મુલાકાત

જમીન સંપાદન થયા બાદ અનેકવિધ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી

New Update
ભરૂચ: અંકલેશ્વર નજીક ટૂંક સમયમાં એરસ્ટ્રીપ શરૂ થાય એવા એંધાણ,જુઓ કોણે કરી મુલાકાત

અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની હદમાં બનાવવામાં આવનારા હવાઈ મથક તેમજ કાર્ગો સર્વિસ માટે બે દાયકા અગાઉ યોજનામાં થયેલા વિલંબ પાછળના કારણો તપાસવા આજે વિધાનસભા દ્વારા નિયુક્ત કરાયેલ જાહેર હિસાબ સમિતિ અંકલેશ્વર આવી પહોંચી હતી.

અંકલેશ્વર તાલુકાના અમરતપુરા થી માંડવા વચ્ચે હાઈવેને અડીને આવેલ 84 હેક્ટર જમીનમાં વર્ષ 2002માં એરસ્ટ્રીપ સેવા શરૂ કરવાની જાહેરાત ગુજરાત સરકારે કરી હતી. જમીન સંપાદન થયા બાદ અનેકવિધ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી.જાહેર હિસાબ સમિતિની ટીમમાં ધારાસભ્ય અને સમિતિના ચેરમેન પૂજા વંશની આગેવાની હેઠળ વિવિધ ધારાસભ્યોનો સમાવેશ થતો હતો.આ કમિટીએ ગાંધીનગરની નીકળી સીધી જ એર સ્ટ્રીપની જગ્યાએ વિઝિટ લીધી હતી અને ત્યાં જ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની ટીમ સાથે બેઠક યોજી હતી અને બે દાયકાથી વધુ સમયગાળો આ યોજનામાં કેમ થયો તે અંગેના પ્રશ્નોની ઝડી વરસાવતા ઉપસ્થિત વિવિધ સરકારી અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો.આ બાબતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સહિતના ઉદ્યોગ જગતના આગેવાનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.એર સ્ટ્રીપ તેમજ કાર્ગો સર્વિસનો લાભ ભરૂચ જિલ્લાના ઉદ્યોગજગતને સમયસર આપવામાં આટલો વિલંબ કેમ થયો તેના કારણો અને અત્યાર સુધી થયેલ કામગીરીનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરી આ કમિટી સમક્ષ દિન ૧૫માં રજૂ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા ત્યારે નજીકના ભવિષ્યમાં ભરુચ જીલ્લામાં એર સ્ટ્રીપ શરૂ થાય એવી આશા હવે દેખાય રહી છે

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.