ભરૂચ : સેવા રૂરલ-ઝઘડીયા અને રાજેશ્રી પોલિફીલના સહયોગથી ઉમલ્લા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો...
ઝઘડીયાના સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી રાજેશ્રી પોલિફીલ કંપની દ્વારા ઉમલ્લા સ્થિત સોમેશ્વર મહાદેવના મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.
BY Connect Gujarat Desk20 Nov 2022 11:24 AM GMT
X
Connect Gujarat Desk20 Nov 2022 11:24 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયાના સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી રાજેશ્રી પોલિફીલ કંપની દ્વારા ઉમલ્લા સ્થિત સોમેશ્વર મહાદેવના મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.
ભરૂચના ઝઘડીયા ખાતે આવેલ સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી રાજેશ્રી પોલીફીલ કંપની દ્વારા ઉમલ્લા સ્થિત સોમેશ્વર મહાદેવના મંદિર ખાતે નેત્ર નિદાન શિબિર યોજાય હતી. જેમાં ઉમલ્લા સોમેશ્વર મહાદેવના મંદિર ખાતે યોજાયેલ કેમ્પમાં સેવા રૂરલ ઝઘડીયા હોસ્પીટલના અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં તપાસ માટે આવનાર તમામ દર્દીઓને મફતમાં દવાઓ તેમજ ચશ્મા વિતરના કરવામાં આવ્યા હતા. સમગ્ર કેમ્પ દરમ્યાન ઉમલ્લા તેમજ આજુબાજુના ગામોના દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
Next Story