Connect Gujarat
ભરૂચ

સુહાના સફર: ભરૂચ અંકલેશ્વર સિટી બસ સેવાને બહોળો પ્રતિસાદ

ભરૂચ અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ સિટી બસ સેવા, સિટી બસ સેવાને બહોળો પ્રતિસાદ.

X

ભરૂચ અંકલેશ્વર વચ્ચે શરૂ થયેલ સિટી બસ સેવાને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. અંકલેશ્વરથી ભરૂચ જતા મુસાફરોએ આ સેવાનો સૌથી વધુ લાભ લીધો છે.

ભરૂચ અંકલેશ્વર વચ્ચે શુક્રવારથી શરુ થયેલ સીટી બસ સેવામાં છેલ્લા 3 દિવસમાં અંકલેશ્વર ડેપો તરફ થી ભરૂચ તરફ જતા મુસાફરોએ સૌથી વધુ લાભ લીધો છે. જયારે ભરૂચ થી અંકલેશ્વર તરફ હજી પણ ઓછા મુસાફરો લઇ રહ્યા છે . અંકલેશ્વર ડેપો માંથી 10 અપ અને 10 ડાઉન ટ્રીપ મળી કુલ 20 ટ્રીપ રોજની થાય છે. જેની આવક સામે હાલ નિગમ ઇકોનોમી રીતે 9.30 રૂપિયા અંદાજે પર કી.મી.નો ખર્ચ પડી રહ્યો છે જેની સામે ભરૂચ થી મુસાફરો ઓછા હોવાથી 40 ટ્રીપ આવાગમનની સામે પર કિ.મી. હાલ 14 રૂપિયા ખર્ચ ભરૂચ ડેપો ને અંદાજે આવી રહ્યો છે.

3 દિવસમાં અંકલેશ્વર ડેપોની કુલ 60 ટ્રીપ થઇ છે. જેમાં ડેપો ને અંદાજે 12.500 ઉપરાંતની આવક થઇ છે.અંદાજે બંને ડેપો નું સંચાલન મળી કુલ 40 ટ્રીપ ચાલી રહી છે. જેમાં એક મીની બસમાં એવરેજ 25 થી 26 મુસાફરો આવી રહ્યા છે. જે જોતા રોજના 1800 થી 2000 મુસાફરો સીટી બસ સેવાનો લાભ લઇ રહ્યા છે. જ્યાં નિગમ ને હાઇવે પr 85 રૂપિયા ટોલ ની બચત સાથે ડીઝલ બચત રાજ્ય કનેક્ટિવિટી ધરાવતી બસોમાં થઇ રહ્યો છે. તે તો હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે શરૂ થયેલી સીટી બસ સેવા બસ ડેપો માટે આર્થિક રીતે લાભકારી તો મુસાફરો માટે આર્થિક બચત અને સમય નો બચત થઇ રહી હોવાનું જણાવી રહ્યા છે.

Next Story