ભરૂચ: અંકલેશ્વર પાંજરાપોળ નજીક ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા યુવાનને માર મારતા મોત
અંકલેશ્વર પાંજરાપોળ નજીક યુવાનની હત્યાનો મામલો, 4 આરોપીની પોલીસે કરી ધરપકડ.
BY Connect Gujarat15 Sep 2021 12:05 PM GMT
X
Connect Gujarat15 Sep 2021 12:05 PM GMT
અંકલેશ્વર પાંજરાપોળ નજીક બે દિવસ અગાઉ એક વ્યક્તિની હત્યા કરી દેવી હતી જે ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
અંકલેશ્વર પાંજરાપોળ ખાતે ૪૨ વર્ષીય ભિક્ષુક જેવો લાગતો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેને થોડા જ સમયમાં દમ તોડ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા આ યુવાનને કેટલાક સ્થાનિક યુવાનોએ જ માર મારતા તેનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.
આ ઘટનામાં પોલીસે ચાર યુવાનો સુનીલ વસાવા, હિરેન વસાવા, અમીશ વસાવા તથા સોહન વસાવાને ઝડપી પાડ્યા હતા. આ તમામની પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે મૃતક પાંજરાપોળ નજીક ગાય સાથે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યો હતો અને તેને નાં પાડવા છતાં તે તે ન અટકતા તેને માર માર્યો હતો અને તેના પગલે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Story