ભરૂચ:વાગરાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 જેટલા શ્રમિકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા

ભરૂચના વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 શ્રમિકોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

New Update
ભરૂચ:વાગરાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 જેટલા શ્રમિકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા

ભરૂચના વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 શ્રમિકોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

ભરૂચના વાગરાની વિલાયત જીઆઇડીસીની ખાનગી કંપનીમાંથી કામદારો કામ કરી પરત પોતાના રૂમ પર જઇ રહ્યા હતા તે દરમિયાન સલાદરા ગામ નજીક આઇસર ટેમ્પો પલટી મારતા 40થી વધુ કામદારો ને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતના પગલે દોડધામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories