ભરૂચ : ગરમીનો પારો વધતાં લૂ લાગવાના કેસમાં વધારો, છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી..!

ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતાં લૂ લાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ કેસ આવી રહ્યા છે.

New Update
ભરૂચ : ગરમીનો પારો વધતાં લૂ લાગવાના કેસમાં વધારો, છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી..!

ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો વધતાં લૂ લાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ કેસ આવી રહ્યા છે.

ગત વર્ષ કરતા આ વર્ષે ઉનાળાની અંગ દઝાડતી ગરમીના કારણે લૂ લાગવાના બનાવોની શરૂઆત થઇ ચૂકી છે. હાલ તાપમાનનો પારો 38થી 40 ડીગ્રી સુધી પહોંચી ગયો છે, તેમજ આવનારા દિવસમાં ગરમી વધવાની શક્યતા છે. ગરમી વધુ પડતાં બાળકો, મહિલા અને વૃદ્ધોમાં હીટ સ્ટ્રોકના બનાવો વધુ બનતા હોય છે, ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસમાં સરેરાશ 5થી વધુ કેસ નોંધાય રહ્યા છે. આવનારા દિવસોમાં આ કેસોમાં વધારો થવાની શક્યતા છે. હાલ આકરો તાપ પડી રહ્યો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો બપોરે સૂમસાન નજરે પડી રહ્યા છે. બપોરે 1 વાગ્યા બાદ ગરમીનો પારો જેમ જેમ વધુ થતાં લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડો. મહેશ સોલુંએ જણાવ્યું હતું કે, હાલ પડી રહેલા આકરા તાપમાં બને તેમ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, વધુ પાણીનું સેવન કરવું જોઈએ, ચક્કર આવે કે, માથું દુખવા જેવી સમસ્યાઓને અવગણવી નહીં. આ ઉપરાંત કોઈપણ સમસ્યા સર્જાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. સાથે જ હેડ સ્ટ્રોકની સારવાર માટે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે તૈનાત હોવાનું પણ ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડો. મહેશ સોલુંએ જણાવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.