ભરૂચ: 70 KMના હાઇવે પર 9 એક્સિડન્ટ ઝોનમાં દર વર્ષે સરેરાશ 250 લોકોના મોત, અકસ્માતો અટકાવવા સમીક્ષા

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં 70 કીમીના નેશનલ હાઇવે પર અકસ્માતના પ્રમાણમાં ઘટાડો કરવાના હેતુસર 9 જેટલા એકસીડન્ટ ઝોન શોધી કાઢવામાં આવ્યાં છે

New Update
ભરૂચ: 70 KMના હાઇવે પર 9 એક્સિડન્ટ ઝોનમાં દર વર્ષે સરેરાશ 250 લોકોના મોત, અકસ્માતો અટકાવવા સમીક્ષા

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં 70 કીમીના નેશનલ હાઇવે પર અકસ્માતના પ્રમાણમાં ઘટાડો કરવાના હેતુસર 9 જેટલા એકસીડન્ટ ઝોન શોધી કાઢવામાં આવ્યાં છે

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં 70 કીમીના નેશનલ હાઇવે પર અકસ્માતમાં પ્રતિ વર્ષ સરેરાશ 250 લોકોના મોત થઇ રહયાં છે ત્યારે અકસ્માતો અટકાવવા માટે 9 જેટલાં એકસીડન્ટ ઝોન શોધી કાઢવામાં આવ્યાં છે. રોડ સેફટી ઓથોરીટીની સુચના બાદ અલગ અલગ વિભાગના અધિકારીઓએ એકસીડન્ટ ઝોનની મુલાકાત લીધી હતી.કરજણ ટોલપ્લાઝાથી ધામરોડ પાટીયા સુધીના નેશનલ હાઇવે પર અકસ્માતોમાં પ્રતિ વર્ષ 250 જેટલા લોકો જીવ ગુમાવી રહયાં છે. અકસ્માતો અટકાવવા માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સુચનાથી વિવિધ વિભાગોની બનેલી ટીમે એકસીડન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. આ 70 કીમીના હાઇવે પર 9 જેટલા સ્થળોએ એકસીડન્ટ ઝોન તરીકે અલગ તારવવામાં આવ્યાં છે.આ સ્થળોએ અકસ્માત થવા પાછળના સંભવિત કારણોની સમીક્ષા કરવામાં આવી હતી. આ અકસ્માત થતા કઈ રીતે અટકાવી શકાય તે અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ ટીમમાં ટ્રાફિક પીઆઇ એમ.વી.તડવી, આરટીઓ ઇન્સપેકટર વિનુ મકવાણા, નેશનલ હાઇવેના દિલીપસિંહ બોરાધરા સહિતના અધિકારીઓ સામેલ થયાં હતાં. તેમણે અકસ્માત ઝોનના સ્થળોએ થર્મો પ્લાસ્ટિકના પટ્ટા મારવા, લાઇટો લગાવવી તથા સાઇનબોર્ડ લગાડવા સહીતના ઉપાયો અંગે ચર્ચા કરી હતી.

Read the Next Article

ભરૂચ : માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની 58મી સામાન્ય સભા યોજાઈ

ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

New Update
  • કર્મચારીઓની કો-ઓપ.ક્રેડીટ સોસા.ની 58મી સામાન્ય સભા

  • ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે યોજાય સામાન્ય સભા

  • અમદાવાદ પ્લેન ક્રેશનાં મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

  • બાળકોને શૈક્ષણિક કીટનું પણ કરાયું વિતરણ

  • નિવૃત સભાસદોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરાયું સન્માન   

ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ઘી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.

ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,આ ઉપરાંત  બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ સામાન્ય સભામાં નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.અને સભામાં સંસ્થાના સભ્યો સાથે વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રણા,કિરીટસિંહ ધરિયા,અજય રણા,ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર રવિન્દ્ર રણા સહિત ગુજરાત રાજ્ય સહકારી સંઘ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.